નવાઈકારક / એવી તે શું ખાસિયત છે 'નુરજહા' કેરીમાં ? 1 કેરીના 1200 રુપિયા ચુકવવા તૈયાર છે લોકો
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ઠીવાડા વિસ્તારમાં કેરીની મલિકા તરીકે ઓળખાતી નૂરજહા કેરીની વિશ્વમાં ખૂબ ડિમાન્ડ છે.
- મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ઠીવાડામાં જોવા મળે છે નૂરજહા કેરી
- અત્યંત વજનદાર અને સ્વાદિષ્ટ હોવાને કારણે લોકો મોં માંગ્યા પૈસા ચુકવવા તૈયાર
- એક કેરીનું વજન 3 કિલો સુધી હોઈ શકે
- એક કેરીના 500 થી 1200 રુપિયા ચુકવવા લોકો તૈયાર
- પાકતા પહેલા બુકિંગ થઈ જાય છે
નૂરજહા પ્રજાતિની કેરીના શોખીનો એક કેરી માટે 500 થી 1000 રુપિયા ખર્ચી નાખવા તૈયાર હોય છે. ગયા વર્ષે તો માવઠાને કારણે આ કેરીનું ઉત્પાદન ખૂબ ઘટી ગયું હતુ પરંતુ આ વર્ષે નૂરજહા કેરીનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. અત્યંત વજનદાર આ કેરી પાકતા પહેલા જ ખૂબ ઊંચા ભાવે બુક થઈ જાય છે.
નૂરજહા કેરીની શું છે ખાસિયત
નૂરજહા કેરી તેના વજન માટે વિખ્યાત છે. એક નૂરજહાનું વજન 3 કિલો સુધી હોય છે અને તે અત્યંત સ્વાદિષ્ટ હોય છે. ગીરની કેસર કરતા પણ તે સ્વાદિષ્ટ હોવાનું લોકોને લાગી રહ્યું છે. લોકો તેને માટે મો માંગ્યા ભાવ પણ ચુકવવા તૈયાર છે. એટલું જ નહીં પરંતુ પાક્યા પહેલા તેનું બુકિંગ પણ થઈ જાય છે.
1 કેરીનું વજન 3 કિલો સુધી હોઈ શકે છે
ઈન્દોરથી લગભગ 250 કિલોમોીટર દૂર કઠ્ઠીવાડાના કેરીના ઉત્પાદક શિવરાજ સિંહ જાધવે જણાવ્યું કે મારા બગીચામાં નૂરજહા કેરીના ત્રણ આંબા છે તેની પર કુલ 250 કેરી આવી છે. આ કેરીનું બુકિંગ તો ઘણ સમય પહેલા થી ગયું છે. લોકોએ એક નૂરજહાની કિંમત 500 થી 1000 રુપિયા નક્કી કરી છે. મધ્યપ્રદેશની ઉપરાંત ગુજરાતના લોકો પણ આ કેરી ખાવાના શોખીન છે. આ વખતે નૂરજહા કેરીનું વજન બે થી અઢી કિલોની આસપાસ રહેવાનું છે.
ગયા વર્ષે આંબા પર મોર આવ્યા નહોતા
કઠ્ઠીવાડાના નૂરજહાના બાગવાની વિશેષજ્ઞ ઈશાક મંસૂરીએ જણાવ્યું કે આ વખતે નૂરજહાની ઉપજ તો ઘણી થઈ છે પરંતુ કોરોનાને કારણે થોડી અસર પડી છે. ગયા વર્ષે આંબા પર મોર જ આવ્યાં નહોતા તેને કારણે જેટલુ જોઈએ તેટલું ઉત્પાદન થઈ શક્યું નહોતું. જેને કારણે શોખીઓ આ કેરીના સ્વાદથી વંચિત રહેવુ પડ્યું હતું.
નૂરજહાંની ગોટલીનું વજન 150 થી 200 ગ્રામની વચ્ચે હોય છે.
ઈશાક મંસૂરીનું કહેવું છે કે 2019 માં 1 નૂરજહાનું વજન 2.75 કિલોગ હતું ત્યારે એક કેરીના 1200 રુપિયા સુધી બોલાયા હતા.
No comments:
Post a Comment