ના હોય! / આ 5 શાક તામારા શરીરને પહોંચાડે છે ભયંકર નુકસાન, જાણીને થઇ જશો હેરાન
કોરોનાકાળમાં લોકો પોતાની ઇમ્યૂનીટીને લઇને સજાગ થઇ ગયા છે પરંતુ આ 5 શાક ખાશો તો તમારી હેલ્થને નુકસાન થશે.
- આ શાકભાજી શરીરને પહોંચાડે છે નુકસાન
- ક્યારેય કાચા ન ખાતા આ શાકભાજી
- કોરોનાકાળમાં રાખો તમારા શરીરની કાળજી
ફૂલાવર
ફૂલાવર એક એવુ શાક છે, જેને લોકો સલાડ સાથે ખાય છે પરંતુ જો તેને કાચુ ખાવામાં આવે તો પેટમાં ગેસ અને અપચાની સમસ્યા થઇ જાય છે. આ શાકમાં એક પ્રકારની શુગર હોય છે જે રાંધ્યા વગર પચતી નથી.
રિંગણ
રિંગણ પણ પેટમાં નુકસાન પહોંચાડી શકે છે. રિંગણને કાચા ખાવાથી ઉલ્ટી, ચક્કર અને અપચાની સમસ્યા થઇ શકે છે. રિંગણમાં જે વિટામિન્સ હોય છે તેના માટે તેને રાંધવુ ખુબ જરૂરી છે.
બીટ
હિમોગ્લોબીન વધારવા અને વજન માટે બીટ ઘણુ ફાયદાકારક છે. ઘણા લોકો સલાડ તરીકે અને જ્યુસ પીતા હોય છે. ઘણા લોકો કાચુ પણ તેને ખાતા હોય છે પરંતુ તેને ક્યારેય કાચુ ન ખાવુ જોઇએ.
મશરૂમ
મશરૂમમાં વિટામીન બી સારા પ્રમાણમાં હોય છે પરંતુ ઘણા લોકોને તેના સેવનથી સ્કીન એલર્જી થઇ જાય છે. જેથી મશરૂમને કાચુ ન ખાવુ જોઇએ. તેને સંપૂર્ણ રીતે રાંધીને જ ખાવુ જોઇએ.
ગાજર
ગાજર આમ તો પોષકતત્વોથી ભરપૂર હોય છે પરંતુ તેને ખાવામાં પણ ધ્યાન રાખવાની જરૂર હોય છે. નહીતર તમારી સ્કીનનો કલર પણ બદલાઇ જાય છે. કારણકે ગાજરની અંદર બીટા કેરોટીન હોય છે જે વધારે માત્રામાં લેવાથી નુકસાન થાય છે.
No comments:
Post a Comment