Pages

Highlight Of Last Week

Search This Website

Saturday 15 May 2021

તાઉ-તેનું તોળાતું સંકટ:વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી. દૂર, 6 કલાકમાં તાઉ-તેની તીવ્રતા વધશે, 18મીએ બપોરના સમયે પોરબંદર અને નલીયા આસપાસ ત્રાટકશે

તાઉ-તેનું તોળાતું સંકટ:વાવાઝોડું ગુજરાતથી 930 કિ.મી. દૂર, 6 કલાકમાં તાઉ-તેની તીવ્રતા વધશે, 18મીએ બપોરના સમયે પોરબંદર અને નલીયા આસપાસ ત્રાટકશે



  • સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર સાબદુ, દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરાયા
  • NDRFની 15 ટીમ જામનગર પહોંચી
  • એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી


ભારત સરકારના ગૃહમંત્રાલયમાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર 6 કલાકમાં વાવાઝો઼ડાની તીવ્રતા વધે તેમ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે.

હવાઇમથકોને તકેદારીના તમામ પગલાં લેવા તાકીદ કરી

ભારતમાં પશ્ચિમી દરિયાકાંઠે આવી રહેલા તૌક્તે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, આ વિષય સંદર્ભે બહાર પાડવામાં આવેલા ટેકનિકલ પરિપત્ર અનુસાર, ભારતીય હવાઇમથક સત્તામંડળ ખાતે વરિષ્ઠ મેનેજમેન્ટે દિલ્હીમાં આવેલા કોર્પોરેટ હેડક્વાર્ટર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણી પ્રદેશ અને પશ્ચિમી પ્રદેશમાં પશ્ચિમી દરિયાકાંઠાના હવાઇમથકોમાં પૂર્વતૈયારીઓની માહિતી મેળવી હતી. AAIના સભ્ય (પરિચાલન) આઇ.એન.મૂર્તિએ સંબંધિત હવાઇમથકોને તકેદારીના તમામ પગલાં લેવાની અને પૂર્વતૈયારીનું આયોજન કરવાની તાકીદ કરી હતી.

17મીએ અતિ ભારે વરસાદ પડી શકે
વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં તારીખ 16મીથી જ હળવા કે મધ્યમ ઝાપટા - વરસાદ પડશે, તો 17મી તારીખે ગીર સોમનાથ જુનાગઢના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.તારીખ 18મીના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર જેમ કે, પોરબંદર, દેવભુમી દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે અને દરિયા કિનારે 120થી 150 કીમી પ્રતિ કલાકની ઝઢપે પવન ફુકાઇ શકે છે. વાવાઝોડાનાં પગલે દરુિયાઇ સીમાવર્તી વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયુ છે.

સૌરાષ્ટ્રમાં 15 એનડીઆરએફની ટીમ તૈનાત કરાશે
સંભવિત વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને કચ્છમાં 2-2 ટીમ જ્યારે ભાવનગરમાં 1 એનડીઆરએફની ટીમ મોકલવામાં આવશે. જ્યારે કેટલીક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. અન્ય રાજ્યની 15 જેટલી એનડીઆરએફની ટીમ જામનગર પહોંચી છે અને ત્યાંથી ટીમને અન્ય જિલ્લામાં મોકલવામાં આવશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં કાંઠાના ગામોને એલર્ટ કરાયા
ભાવનગર, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામો, કચ્છના ગામો તથા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચમાં જિલ્લાના 3 તાલુકા હાંસોટ, જંબુસર અને વાગરાના 29 જેટલા ગામોને એલર્ટ અપાયું છે. સંભવિત તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના દરિયાકાંઠે આવેલા 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો
હવામાન વિભાગની આગાહી અનુસાર તાઉ-તે વાવાઝોડા કારણે તા. 16 અને 18 મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં દરીયાઈ વિસ્તારના તાલુકા જાફરાબાદ અને રાજુલામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને વાદળ છાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે હાલમા ખેતરમાં ઉભા પાક જેવા કે લસણ, ઉનાળુ બાજરી, ઘાસચારો, શાકભાજી અને કઠોળ વગેરે પાકોમાં ખેડૂતોને સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે.

No comments:

Post a Comment